Surat Tourism
Tuesday, 7 February 2012
Friday, 30 December 2011
સુરત
સુરત
સુરત શહેર દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલ શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. સુરત ગુજરાતનું બીજા નંબરનું (ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે.સાલ ૨૦૦૮માં સુરત (૧૬.૫% GDP) ભારત ના સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.
ઈતિહાસ
સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુગલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતાં હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશ નું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં. ત્યાર બાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું
મુઘલકાળનુ સુરત
૧૬ મી સદી દરમ્યાન જ્યારે મુઘલકાળમાં ભારતની પ્રજા એકંદરે સ્થીર અને શાંત અને પ્રગતીશીલ હતી ત્યારે, સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું હતુ. ભૌગોલીક રીતે સુરત શહેર ભારતનાં પશ્ચીમ ભાગમાં આવેલુ છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અંહીના બંદરનો ખુબજ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમા એક ભવ્ય સરાય(ધર્મશાળા) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતા અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપ્વા "નાણાવટ" નામના તે સમયના સૌથી સમૂધ્ધ બજાર અહી વિકસ્યુ હતુ જેમા શાહી ટંકશાળ પણ હતી, તેની તથા શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું "શેહરે પનાહ" જેને સ્થાનિક લોકો નાનાં કોટ તરીકે પણ ઓળખતા હતાં. વખત જતાં શહેર વિસ્તરતું ગયું અને તે "શેહેરે પનાહ"ની બહાર નીકળી ગયું, સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો, તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને નામ આપવામાં આવ્યું, આલમ પનાહ જેને સ્થાનિક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતાં હતાં.
બ્રિટીશકાળનુ સુરત
૧૬મી સદી દર્મ્યાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચુકી હતી, જેથી અનેક વિદેશીપ્રજાઓ પોતનો વેપાર વિક્સાવવા અંહી આવવાલાગી તેમા આરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો, અને બ્રિટીશરો મુખ્ય હતા. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦, ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ "હેક્ટર" સુરત બંદરે વેપાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યુ અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથીજ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો, અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશીશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી
હાલના ગાંધીસ્મૂતી ભવન ની સામેનાં ભાગમાં ફ્રેન્ચોએ સુરતનુ પહેલુ ચર્ચ બાંધ્યુ, ડચ પ્રજાએ હાલના ડચ ગાર્ડન ની સામે કોઠી બાંધીજે સુરતની પહેલી વહીવટી કચેરી બન્યુ, પોર્ટુગીઝોએ આઇ.પી.મીશન સ્કુલની સામે કોઠીબાંધી જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે. અને બ્રિટીશરો એ પહેલુ છાપખાનુ, શાળા તેમન કન્યા તેમન કુમાર શાળા બંધાવી જે આઇ.પી.મીશન સંકુલ તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન શીવાજી નાં આક્રમણો સુરત પર વધ્યા હતા અને તેણે અનેક વખત સુરત તેમજ "નાણાંવટ" ને લૂટ્યુ. વખત જતા લુંટફાટ, કુદરતી આપતીઓ ને કારણે હવે સુરતની જગ્યા ધીરેધીરે મુંબઇ લેવા માંડ્યુ હતુ. છતા આ સમય દરમ્યાન અંહીના સ્થાનીક વેપારીઓ તેમજ પ્રજાએ સુરતની જહોજલાલી ટકાવવા પુરતા પ્રયત્નો કર્યા જેમાં શેઠ ગોપીચંદ કે જેમણે ગોપીપુરા અને ગોપીતળાવ વિક્સાવ્યા, તથા માણેકજી વાડિયા અને તેમનું કુટુંબ કે જેમણે સુરતના અને મુંબઇના જહાજ વાડામાં અનેક ઐતીહાસિક જહાજો બનાવ્યા હતા. કે જેમણે બ્રિટીશરો વતી ઇજીપ્ત પાસે નેપોલીયન ની સામે અને અમેરીકાનાં સ્વાતંત્ર વિગ્રહમાં લડત આપી હતી.
હાલના ગાંધીસ્મૂતી ભવન ની સામેનાં ભાગમાં ફ્રેન્ચોએ સુરતનુ પહેલુ ચર્ચ બાંધ્યુ, ડચ પ્રજાએ હાલના ડચ ગાર્ડન ની સામે કોઠી બાંધીજે સુરતની પહેલી વહીવટી કચેરી બન્યુ, પોર્ટુગીઝોએ આઇ.પી.મીશન સ્કુલની સામે કોઠીબાંધી જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે. અને બ્રિટીશરો એ પહેલુ છાપખાનુ, શાળા તેમન કન્યા તેમન કુમાર શાળા બંધાવી જે આઇ.પી.મીશન સંકુલ તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન શીવાજી નાં આક્રમણો સુરત પર વધ્યા હતા અને તેણે અનેક વખત સુરત તેમજ "નાણાંવટ" ને લૂટ્યુ. વખત જતા લુંટફાટ, કુદરતી આપતીઓ ને કારણે હવે સુરતની જગ્યા ધીરેધીરે મુંબઇ લેવા માંડ્યુ હતુ. છતા આ સમય દરમ્યાન અંહીના સ્થાનીક વેપારીઓ તેમજ પ્રજાએ સુરતની જહોજલાલી ટકાવવા પુરતા પ્રયત્નો કર્યા જેમાં શેઠ ગોપીચંદ કે જેમણે ગોપીપુરા અને ગોપીતળાવ વિક્સાવ્યા, તથા માણેકજી વાડિયા અને તેમનું કુટુંબ કે જેમણે સુરતના અને મુંબઇના જહાજ વાડામાં અનેક ઐતીહાસિક જહાજો બનાવ્યા હતા. કે જેમણે બ્રિટીશરો વતી ઇજીપ્ત પાસે નેપોલીયન ની સામે અને અમેરીકાનાં સ્વાતંત્ર વિગ્રહમાં લડત આપી હતી.
ભૌગોલિક સ્થાન
સુરત તાપી નદીના કિનારે વસેલું એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધોના કારણે હાલનું બંદર ખુબજ નાનું થઈ ગયું છે. જે હજીરા પાસે આવેલ છે. સુરતની આસપાસ તાપી જિલ્લો,ભરૂચ જિલ્લો,વલસાડ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
આજનું સુરત
આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ. સ. ૧૯૮૦ના દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર છે. ૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાશક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.
આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે
જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ છે.
સુરત એ ચંડીગઢ અને મૈસુર પછી "સૌથી ચોખ્ખું" શહેર છે. સુરત એક જમાના માં ભારત દેશ નું સૌથી મોટું શહેર હતું. અને ૨૦૦૮ માં સુરત શહેર નો GDP growth rates સૌથી વધારે ૧૧.૫ % હતો.
સુરતના લોકો ખાવા-પીવવા શોખીન છે. સુરત માટે કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ"
અત્યારે સુરત્ નો હિરા ઉધ્યોગ વિશ્વ્ ભર મા જાણિતો બ્ન્યો છે જેમા મોટા ભાગ ના સોરાસ્ટ્ર્ ના લોકો નો મોટો ફાળો છે જેનાથિ સુરત્ નુ નામ ઓર રોશન થયુ છે.
Friday, 16 December 2011
Thursday, 15 December 2011
SURAT
City Plus Multiplex.. Great place to see movies and have Sizzling Brownies at Bombay Blues!!http://www.jay901.yolasite.com/
Magdalla Port |
Subscribe to:
Posts (Atom)